રાજકોટ ડિવિઝનના TTEએ ઈમાનદારીનો દાખલો બેસાડ્યો, મુસાફરને 1.5 લાખની કિંમતની સોનાની ચેઈન પરત કરી

રાજકોટ રેલવે ડીવીઝનના ટીટીઇ શ્રી દિનેશ પરમારે પ્રમાણિકતાનું ઉદાહરણ બેસાડ્યું છે. તાજેતરમાં તે 17 માર્ચ, 2024 ના રોજ ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા ના B-4, B-5 ​​અને B-6 માં અમદાવાદથી રાજકોટ વચ્ચે ચેકિંગની ફરજ બજાવતા હતા ત્યારે મધ્ય રાત્રિ માં લગભગ 1.30 વાગ્યે B-5 કોચમાંથી તેમણે એક સોનાની ચેઈન મળી આવી હતી. તે સમયે તમામ મુસાફરો સૂઈ ગયા હોવાથી તે ચેઈન કયા મુસાફરની છે તે જાણી શક્યું ન હતું. તેમણે તાત્કાલિક રાજકોટમાં ફરજ પરના સીટીઆઈ લોબી સ્ટાફને ઘટના અંગે જાણ કરી હતી. 

બીજા દિવસે સવારે, પદ્મદેવ સિંહ તોમર (ઉંમર 61 વર્ષ) નામનો મુસાફર, જે ટ્રેન નં. 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ સુરતથી રાજકોટ, પી.એન.આર. ના. 8315823374 પર મુસાફરી કરેલ હતી તેણે સીટીઆઈ ઓફિસનો સંપર્ક કર્યો અને જાણ કરી કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેમની લગભગ રૂ. 1.5 લાખની કિંમતની 3 તોલાની ચેન ગુમાવી દીધી હતી. ફરજ પરના CTI લોબી સ્ટાફ શ્રી આર.ડી. રાવલે તેમને જણાવ્યું કે આ ટ્રેનના મેનિંગ સ્ટાફ શ્રી દિનેશ પરમારને સોનાની ચેઈન મળી આવી છે. બાદમાં હકીકતની ચકાસણી કર્યા બાદ ટીટીઈ રાજકોટ શ્રી દિનેશ પરમાર દ્વારા સીટીઆઈ રાજકોટના સ્ટાફ શ્રી આર.ડી.રાવલની હાજરીમાં મુસાફરને સોનાની ચેઈન સોંપવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વની કુમાર, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીના અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (કોચિંગ) શ્રી દેવેન્દ્ર મેશ્રામે TTE શ્રી દિનેશ પરમારની પ્રામાણિકતા અને નિષ્ઠાની પ્રશંસા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *