આજે વર્ષનું છેલ્લું અને મોટુ ચંદ્ર ગ્રહણ થશે. ત્યારે આજે આ ત્રણ રાશિને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રગ્રહણને હિન્દૂ ધર્મમાં અશુભ ઘટના માનવામાં આવે છે. અને આજે 28 ઓક્ટોબર 2023નાં રોજ ચંદ્રગ્રહણ લાગૂ પડશે. મહત્વનું છે કે આ ચંદ્રગ્રહણ આ વર્ષ 2023નું છેલ્લું અને મોટુ ગ્રહણ રહેશે. જે આજે મધ્યરાત્રી 1.06એ શરૂ થશે અને રાત્રે 2.22 વાગ્યે પૂર્ણ થશે. જેનું સૂતક આજે બપોરે 4 વાગ્યાથી લાગી જશે અને ગ્રહણ સમાપ્ત થયા સુધી શરૂ રહેશે.
ચંદ્રગ્રહણને લગતા નિયમો અને માહિતી વિશે જાણો
- જ્યોતિષ પ્રમાણે વાત કરીએ તો વર્ષનું છેલ્લું અને મોટુ ચંદ્ર ગ્રહણ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ મેષ રાશિ તેમજ અશ્વિની નક્ષત્રમાં લાગી રહ્યું છે.
- આ ગ્રહણ દરમિયાન મેષ રાશિનાં જાતકે ભૂલથી પણ ગ્રહણને જોવું ન જોઈએ
- ગ્રહણની વાત કરીએ તો વૃષભ, કુંભ અને વૃશ્ચિક રાશિ માટે ફળદાયી રહેશે આ ઉપરાંત મેષ, તુલા, કન્યા, મીન અને મકર રાશિનાં જાતકોએ સતર્કતા રાખવી પડશે.
- ચંદ્રગ્રહણના સૂતકની વાત કરીએ તો ગ્રહણનાં નવ કલાક પહેલાં ચાલુ થઈ જાય છે.
- હિન્દૂ માન્યતા પ્રમાણે સૂતકકાળ દરમિયાન પૂજા-પાઠ તેમજ રસોઈ વગેરે કંઈ કામ કરવું જોઈએ નહીં.
- ગર્ભવતી મહિલાઓએ વિશેષરૂપે ચંદ્રગ્રહણ દરમિયાન સતર્ક રહેવું જોઈએ.
- ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ વ્યક્તિએ નખ કે વાળ કાપવા ન જોઈએ
- દેવી-દેવતાઓની મૂર્તિ કે મંદિરનો સ્પર્શ આ ગ્રહણ દરમિયાન ન કરવો જોઈએ. મહત્વનું છે કે મનમાં ભગવાનનું સ્મરણ, મંત્રોચ્ચારના જાપ તમે કરી શકો છો.
- ‘ॐ सों सोमाय नमः’ અથવા ‘ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:’ નો જાપ ચંદ્રગ્રહણ દરમિયાન કરવો જોઈએ.
- ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ અવશ્ય સ્નાન કરવું જોઈએ, ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ત્યારબાદ પૂજા-પાઠ ભોજન સહિત તમામ કાર્યો કરી શકો છો.