અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે ત્યારે તે પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે નિર્ણય લેતા 22 જાન્યુઆરીના હોટલ-ધર્મશાળાના તમામ બુકિંગ રદ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
આ લોકો જ રહી શકશે
ઉલ્લેખનીય છે કે ડ્યૂટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટનો આમંત્રણ પત્ર જે વ્યક્તિ પાસે હશે તેવા લોકો જ રહી શકશે. એટલે કે સીએમ યોગીના આદેશ પ્રમાણે 22 જાન્યુઆરીએ જેમની પાસે ડ્યૂટી પાસ અથવા શ્રી રામ તીર્થ ટ્રસ્ટનો આમંત્રણ પત્ર હશે તેવા જ લોકો હોટલ અને ધર્મશાળાઓમાં રહી શકશે.
અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનને હવે માત્ર એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં તમામ હોટલ અને ધર્મશાળાઓનું પ્રી-બુકિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે. વીવીઆઈપી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલેથી જ કરેલા બુકિંગ કર્યા રદ્દ
સમીક્ષા બેઠક બાદ આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે (22 જાન્યુઆરી 2024) હોટલ અને ધર્મશાળાઓમાં પહેલેથી જ કરવામાં આવેલા બુકિંગને રદ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગુરુવારે સમીક્ષા બેઠક બાદ આ સૂચનાઓ આપી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં લોકો મોટી સંખ્યામાં હોટલ બુક કરાવી ચૂક્યા છે જેમનું બુકિંગ હવે રદ કરી દેવામાં આવ્યું છે અને તેમને રિફંડ આપવામાં આવશે.