મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મોડાસરના પૌરાણિક ધરોહર સમાન બાણગંગા તળાવનું લોકાર્પણ કરાયું. ઝાયડસ લાઈફ સાયન્સિસ લિમિટેડ તથા ઝાયડસ ફાઉન્ડેશનના સહયોગથી રૂપિયા 697 લાખના ખર્ચે મોડાસર ગામના બાણગંગા તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાદેવની પૂજા કરીને તળાવનું લોકાર્પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અધિકારીશ્રીઓ, સભ્યો, વિસ્તારના ધારાસભ્ય, કલેક્ટરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.