સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણીએ બુધવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. લાડાણીએ ભાજપમાં જોડાઈને પેટાચૂંટણી લડવાનો દાવો કર્યો છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા અરવિંદ લાડાણીએ બુધવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. ધારાસભ્ય લાડાણી મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર પહોંચ્યા હતા અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રવેશ પહેલા કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે.