રાજ્યપાલના વરદહસ્તે રાજકોટના કાગદડીમાં ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે આજે રાજકોટ જિલ્લાના કાગદડી ખાતે ‘શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ’નું શિલારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રીને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન દ્વારા ૧૮ એકર જેવી વિશાળ જગ્યામાં કાગદડી ખાતે આધુનિક કન્યા ગુરુકુળનું નિર્માણ થઈ રહ્યું છે. જેનો શિલારોપણ સમારોહ આજે રાજ્યપાલશ્રી આચાર્ય…