19 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં શ્રી કરંડિયા વાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં શ્રી કરંડિયા વાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા-19 ફેબ્રુઆરી, 2024ના સોમવારના રોજ સવારે 10 વાગે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ આયોજિત કાર્યક્રમમાં સાંજે 8 વાગે ડાક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર હરેશભાઈ રાવળદેવ છે.

આ કાર્યક્રમમાં ભુવાશ્રી અણદાભાઈ કરણાભાઈ ગોલતર, પઢિયાર શ્રી કમશીભાઈ અણદાભાઈ ગોલતર, કરનાભુવા શ્રી પોપટભાઈ રાણાભાઈ ગોલતર, ભુવાશ્રી સામંતભાઈ રવાભાઈ ખીંટ ઉપસ્થિત રહેશે.

આયોજિત કાર્યક્રમ 1/6 ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડ , નવા વાડજ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના નિમંત્રક અણદાભાઈ કરણાભાઈ ગોલતર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *