અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં શ્રી કરંડિયા વાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા-19 ફેબ્રુઆરી, 2024ના સોમવારના રોજ સવારે 10 વાગે આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ આયોજિત કાર્યક્રમમાં સાંજે 8 વાગે ડાક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર હરેશભાઈ રાવળદેવ છે.
આ કાર્યક્રમમાં ભુવાશ્રી અણદાભાઈ કરણાભાઈ ગોલતર, પઢિયાર શ્રી કમશીભાઈ અણદાભાઈ ગોલતર, કરનાભુવા શ્રી પોપટભાઈ રાણાભાઈ ગોલતર, ભુવાશ્રી સામંતભાઈ રવાભાઈ ખીંટ ઉપસ્થિત રહેશે.
આયોજિત કાર્યક્રમ 1/6 ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડ , નવા વાડજ, અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના નિમંત્રક અણદાભાઈ કરણાભાઈ ગોલતર છે.