ઇઝરાયેલે શનિવારે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફામાં સૌથી મોટા રહેણાંક ટાવર્સમાંના એક ટાવર પર હુમલો કર્યો હતો. અહીંના રહેવાસીઓએ જણાવ્યું કે એન્ક્લેવના છેલ્લા વિસ્તારમાં દબાણ વધી ગયું છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે હજુ સુધી આક્રમણ કર્યું નથી અને 10 લાખથી વધુ વિસ્થાપિત પેલેસ્ટિનિયનો અહીં આશ્રય લઈ રહ્યા છે. ઈઝરાયેલના હુમલામાં ઈજિપ્તની સરહદથી લગભગ 500 મીટર દૂર સ્થિત 12 માળની ઈમારતને નુકસાન થયું હતું.
ઇઝરાયેલે શનિવારે દક્ષિણ ગાઝા પટ્ટીના રાફામાં સૌથી મોટા રહેણાંક ટાવર્સમાંના એક પર હુમલો કર્યો હતો. અહીંના રહેવાસીઓએ જણાવ્યું કે એન્ક્લેવના છેલ્લા વિસ્તારમાં દબાણ વધી ગયું છે. રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે હજુ સુધી આક્રમણ કર્યું નથી અને 10 લાખથી વધુ વિસ્થાપિત પેલેસ્ટિનિયનો અહીં આશ્રય લઈ રહ્યા છે.
રહેવાસીઓના જણાવ્યા મુજબ ડઝનેક પરિવારો બેઘર થઈ ગયા છે. જો કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઇઝરાયેલી સૈન્યએ આ ઘટના પર ટિપ્પણી માટેની વિનંતીઓનો તરત જ જવાબ આપ્યો ન હતો. ટાવરના 300 રહેવાસીઓમાંથી એકે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે ઇઝરાયલે તેમને રાત્રે બિલ્ડિંગમાંથી ભાગી જવા માટે 30 મિનિટની ચેતવણી આપી હતી. જે બાદ લોકો ચોંકી ગયા અને સીડીઓ નીચે ભાગવા લાગ્યા. આ દરમિયાન કેટલાક લોકો સીડી પરથી નીચે પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ પોતાનો સામાન અને પૈસા છોડી દીધા. એક રહેવાસી મોહમ્મદ અલ-નાબ્રિસે જણાવ્યું હતું કે, “ગભરાઈને ખાલી કરાવવા દરમિયાન સીડી પરથી નીચે લપસી ગયેલા લોકોમાં એક મિત્રની ગર્ભવતી પત્ની પણ હતી.”