મહેસાણામાં માટી ધસી પડતા અકસ્માત, 7 મજૂરોના મોત

નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી અંદર ધસી ગઈ, જેના કારણે તેની નીચે કામ કરતા કામદારો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં 7 મજૂરોના મોત થયા હતા.

ગુજરાતના મહેસાણામાં માટી ધસી પડતા 7 મજૂરોના મોત થયા છે. કેટલાક ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જેસલપુર નજીકના ગામમાં આ અકસ્માત થયો હતો. નિર્માણાધીન કંપનીમાં દીવાલ બનાવતી વખતે માટી અંદર ધસી ગઈ, જેના કારણે તેની નીચે કામ કરતા કામદારો દટાઈ ગયા. પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેસલપુર ગામ પાસે આ અકસ્માત થયો હતો, જ્યાં ખાનગી કંપનીની દિવાલ બનાવતી વખતે માટી ધસી પડતાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત છે.

મળતી માહિતી મુજબ સ્ટીલ કંપનીમાં નિર્માણાધીન કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ભૂસ્ખલન થયું. પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે, હાલમાં જેસીબીની મદદથી કામદારોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. કામદારોના મૃતદેહ મળી આવ્યા છે.

કડી પોલીસ સ્ટેશનના નિરીક્ષક પ્રહલાદસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જેસલપુર ગામમાં એક ફેક્ટરી માટે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ઘણા મજૂરો ખાડો ખોદી રહ્યા હતા ત્યારે માટી અંદર ધસી આવી હતી અને તેઓ જીવતા દાટી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *