માંડવિયાએ કહ્યું…હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ એક વિગતવાર અભ્યાસ કર્યો છે, જે દર્શાવે છે કે હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી. આ માટે વ્યક્તિની જીવનશૈલી અને વધુ પડતું ડ્રિંકિંગ જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે.

આરોગ્ય મંત્રીએ કહ્યું કે મોદી સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરી રહી છે જેથી લોકોને સસ્તી તબીબી સંભાળ મળી શકે.

સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે કરી રહી છે કામ

શનિવારે ‘એએનઆઈ ડાયલોગ્સ-નેવિગેટિંગ ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર’ ને સંબોધતા, આરોગ્ય પ્રધાને કહ્યું કે મોદી સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરી રહી છે, જેથી લોકોને સસ્તું તબીબી સંભાળ મળી શકે. માંડવિયાએ વિશ્વના લગભગ 150 દેશોમાં કોરોનાની રસી સપ્લાય કરવાના ભારતના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેનાથી તે દેશોમાં ઘણી સદ્ભાવના પેદા થઈ છે.

હાર્ટ એટેક માટે કોરોનાની રસી જવાબદાર નથી

એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાની રસી વિશે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો આજે કોઈને હાર્ટ એટેક આવે છે, તો કેટલાક લોકો એવું માને છે કે તે કોરોનાની રસીના કારણે છે. ICMRએ આ અંગે વિગતવાર અભ્યાસ કર્યો છે. હાર્ટ એટેક માટે (કોરોના) રસી જવાબદાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *