બીજેપી ઓફિસને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઉડાવી દેવાનું હતું કાવતરું, NIAએ કર્યો મોટો ખુલાસો

રામેશ્વરમ કાફે બ્લાસ્ટ ચાર્જશીટ NIA એ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં NIAએ અન્ય ઘણા મોટા ખુલાસા કર્યા છે અને કહ્યું છે કે રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ કરનારા આરોપીઓ સીરિયા સ્થિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા હતા. આતંકીઓએ બીજેપી ઓફિસ સહિત અન્ય ઘણી જગ્યાએ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી.

NIAએ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે વિસ્ફોટ પાછળ ISISના આતંકવાદીઓનો હાથ હતો. NIAએ તેની ચાર્જશીટમાં મુસાવીર હુસૈન શાજીબ, અબ્દુલ મથિન અહેમદ તાહા, માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફને આરોપી બનાવ્યા છે.

NIAએ ચાર્જશીટમાં જણાવ્યું કે શાજીબે કેફેમાં બોમ્બ મુક્યા હતા. અહેમદ તાહાએ પણ આમાં તેની મદદ કરી હતી. બંને ભૂતકાળમાં ISIS સાથે પણ સંકળાયેલા હતા. બંને આતંકવાદીઓએ ISISની વિચારધારા ફેલાવવાનું કામ કર્યું હતું અને અન્ય મુસ્લિમ યુવાનોને પણ તેમાં સામેલ કરવા અભિયાન ચલાવ્યું હતું. અન્ય બે આરોપી માઝ મુનીર અહેમદ અને મુઝમ્મિલ શરીફ એવા યુવાનો છે જેમને તેના દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *