દિલ્હી CM પદ છોડવાની કેજરીવાલની જાહેરાતઃ કહ્યું- બે દિવસમાં રાજીનામું આપીશ, સિસોદિયા પણ નહીં લે પદ; પાર્ટીના ધારાસભ્યો નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી
2 દિવસ પહેલા (13 સપ્ટેમ્બર) જેલમાંથી જામીન પર બહાર આવેલા અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ 2 દિવસમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. કેજરીવાલ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું- ભાજપે મારા પર અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, હવે જનતાની અદાલતમાં મારી ઈમાનદારીનો નિર્ણય થશે. બે-ત્રણ દિવસમાં ધારાસભ્યોની બેઠકમાં નવા…