મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડાશે

મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવશે. ડેમના પાંચ દરવાજા રીપેર કરવાના હોવાથી 11 વાગ્યાથી પાણી છોડવામાં આવશે. બે દરવાજા બે ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળીયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા છે. જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપરુ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. મોરબી અને માળિયા તાલુકાના 34…

Read More

IFFCO Director Election: ઈફકો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપ દ્વારા બિપીન પટેલને આપવામાં આવ્યું હતું મેન્ડેટ

ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઇ છે. તમને જણાવી દઈએ કે 180માંથી જયેશ રાદડિયાના ખાતે 114 મત પડયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. ત્યારે…

Read More

ગુજરાતના આ મતદાન કેન્દ્રમાં મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ, કહ્યું- ‘મારા બાપનું છે EVM’

7 મેના રોજ દેશમાં ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતના મહિસાગર જિલ્લામાંથી કથિત બૂથ કેપ્ચરિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ આરોપ ભાજપના સ્થાનિક નેતાના પુત્ર પર લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં વોટિંગ કરવા ગયેલા એક વ્યક્તિએ વોટિંગ દરમિયાન પોલિંગ બૂથની અંદરથી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો શરૂ કર્યો હતો. તે ત્યાંથી લગભગ સાડા ચાર મિનિટ લાઈવ રહ્યો. આટલું…

Read More

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ભર્યુ ફોર્મ, આ સમાજને સહકાર આપવા કહી દિધી મોટી વાત…જાણો વિગત

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા પણ કહ્યુ હતુ. ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ…

Read More

RTE પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ આ તારીખ સુધી ભરી શકાશે 

વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTE પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે વાલીઓ 30 માર્ચ સુધી RTE પ્રવેશ…

Read More

Lok Sabha Election 2024: બાકી રહેલી ગુજરાતની 6 બેઠકોના ઉમેદવાર જાહેર

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની બાકી રહેલી છ બેઠકોના ઉમેદવાર ભાજપે કર્યા જાહેર   લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે ગુજરાતના બાકી રહેલા 6 ઉમેદવારના નામની પણ જાહેરાત પાંચમી યાદીમાં કરી દિધી છે.  જૂઓ નામ મહેસાણા…

Read More

Lok Sabha Elections 2024: કોંગ્રેસે 57 ઉમેદવારના નામ કર્યા જાહેર, ગુજરાતના 11 નામ જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત આ ઉમેદવારના નામ જાહેર પાટણઃ ચંદનજી ઠાકોર સાબરકાંઠાઃ તુષાર ચૌધરી ગાંધીનગર: સોનલ પટેલ જામનગરઃ જે.પી.મારવિયા અમરેલીઃ જેની ઠુંમર આણંદઃ અમિત ચાવડા…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી – 2024: દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે “SAKSHAM” એપ્લિકેશન

ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકો (PwDs)ને સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “Saksham” એપ્લિકેશન બનાવવામાં આવી છે. દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “Saksham” એપ એક મૂલ્યવાન સાધન છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ તથા આચારસંહિતાના પાલન અંગે મિટિંગ યોજાઈ

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચના રેટ ચાર્ટ તેમજ આચારસંહિતાના પાલન અંગેની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ચૂંટણીમાં થતા વિવિધ પ્રકારના ખર્ચના ભાવો અંગે ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી. અને વિવિધ વસ્તુઓના ભાવોમાં ફેરફાર કરવા અંગે રાજકીય પક્ષો, ઉમેદવારોના સૂચનો માંગવામાં…

Read More

આચારસંહિતાના અમલ માટે ખર્ચ નિરીક્ષણના નોડલ ઓફિસર તરીકે ડી.ઈ.ઓ નવનાથ ગવ્હાણેને નિયુક્ત કરાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિધાનસભા પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની સુચારૂ અમલવારી માટે વિવિધ નોડલ ઓફિસરની નિમણુંક…

Read More