બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. પાલનપુર-અંબાજી હાઇવે પર નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ તૂટી પડતા રિક્ષા સહિત વાહનો કાટમાળ નીચે દબાયા હતા. આ ઘટનામાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. દુર્ઘટનાના પ્રથમિક કારણો જાણવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન…