55 જેટલા મનોદિવ્યાંગ બાળકો અને આંગણવાડીના ભૂલકાંઓએ મંત્રી ભાનુબેન બાબરીયાને કહ્યુ “હેપ્પી બર્થ ડે ટુ યુ”

મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ તેમના 49માં જન્મ દિવસની ઉજવણી માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ, કાલાવડ રોડ, રાજકોટ તથા આંગણવાડીના નાના બાળકો સાથે કરી હતી.

મંત્રીશ્રી બાબરીયાએ જન્મદિવસ નિમિત્તે સાદાઈથી બાળકો સાથે કેક કાપી હતી અને ચોકલેટ વિતરણ કર્યું હતું. ત્યાર બાદ મંત્રીશ્રીએ મનોદિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું તથા બાળકો સાથે ભોજન લઈને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

‘એક પેડ માં કે નામ’ અંતર્ગત માનસિક ક્ષતિવાળા બાળકોની ગૃહ સંસ્થામાં મંત્રી શ્રી ભાનુબેને વૃક્ષારોપણ કર્યું હતું. બાળકોએ “હેપ્પી બર્થ ડે ટુ યુ” ગીત પોતાની કાલી-ધેલી ભાષામાં ગાઈને જન્મદિવસની શ્રી ભાનુબેનને શુભેચ્છાઓ પાઠવી હતી, જે સાંભળીને મંત્રીશ્રી આનંદિત થયા હતા.

આ પ્રસંગે સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.એમ.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારશ્રી એ.યુ.ગોસ્વામી,  માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહના અધિક્ષક ડો. મહેશ ચૌહાણ, ચીફ ઓફિસર એમ.એન. ગોસ્વામી ટીમ અને આઈ.સી.ડી.એસ. વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *