ગાંધીનગર ખાતે મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિવિધ વિદ્યાશાખાના 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક અપાઈ છે.
ગાંધીનગર ખાતે 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત સમારોહ યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના 62 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, શિક્ષણથી વિશેષ કોઈ સેવા નથી અને વિદ્યાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. આપ સૌ ભાગ્યશાળી છો કે શિક્ષણ તમને સેવારૂપે પ્રાપ્ત થયું છે. મંત્રીશ્રીએ સૌને દીપાવલિના પાવન પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી