ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોનો હવાલો એ.કે.રાકેશને સોપાયો 

ચૂંટણી પંચના આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારોનો હવાલો એકે રાકેશને સોંપવામાં આવ્યો છે. 

ચૂંટણી પંચના દેશના પગલે રાજ્ય સરકારે આઇએએસ પંકજ જોષી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો હતો. ચૂંટણી પંચે સોમવારે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યાં હતાં.

ચૂંટણી પંચના આદેશના પગલે આઇએએસ એ કે રાકેશની ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરાઈ છે. વર્ષ 1989ની બેચના અધિકારી એ કે રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *