બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. પાલનપુર-અંબાજી હાઇવે પર નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ તૂટી પડતા રિક્ષા સહિત વાહનો કાટમાળ નીચે દબાયા હતા.
આ ઘટનામાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. દુર્ઘટનાના પ્રથમિક કારણો જાણવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવા આદેશ કર્યો હતો.
આ તમામ અધિકારીઓ તાત્કાલિક પાલનપુર જવા રવાના થયા હતા. તેઓ સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.