દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની માંગ, EDએ કોર્ટમાં કરી ફરિયાદ

દારુ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ઈડીએ વારંવાર સમન્સની અવગણના કરવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તપાસ એજન્સીએ દિલ્હી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરીને અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની માંગ કરી છે.

અધિકારીઓએ બુધવારે આ અંગેની માહિતી આપી હતી. કહેવામાં આવ્યું કે ઈડીએ સમન્સની અવગણના કરવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ EDની ફરિયાદ પર ગુરુવારે કોર્ટમાં સુનાવણી થશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. ઈડીએ વારંવાર સમન્સની અવગણના કરવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. તપાસ એજન્સીએ દિલ્હી કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરીને અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *