અમદાવાદથી ડાકોર જતી ખાનગી બસ પલટી જતા 2 લોકોના મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે અમદાવાદથી ડાકોર જતી લકઝરી બસને અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે લોકોના મોત થયા છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ – ડાકોર એક્સપ્રેસ હાઇવે પર ડાકોર એગ્ઝિટ ટોલ બુથ પાસે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાની વિગતો પણ સામે આવી છે. બસચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું બસમાં સવાર પેસેન્જર જણાવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રણાણે બસ ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો છે. બસ ચાલક બેફામ અને બેફિકર થઈ બસ ચલાવતો હતો. અકસ્માતની ઘટનાને પગેલે 108 મારફતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે ખેડા SP રાજેશ ગઢીયા પોહચ્યા હતા. અક્સ્માતને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *